પૃષ્ઠ

મંગળવાર, 25 જૂન, 2013

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે સૂચના 



રવિવાર, 23 જૂન, 2013


વિદ્યાર્થી સંખ્યા આધારે મળવાપાત્ર શિક્ષક મહેકમ 










મંગળવાર, 11 જૂન, 2013

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત કામગીરી પૂર્ણ કરવા બાબત 


સોમવાર, 10 જૂન, 2013

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૩ માટે પ્રાર્થના

 મનુષ્ય તું બડા મહાન હૈ ડાઉનલોડ કરો



મંગળવાર, 4 જૂન, 2013

જેની ભૂલ તમે સુધારી શક્તા ના હોય એ ભૂલ કદી કાઢવી જ નહી.

       એક ખૂબ પ્રખ્યાત ચિત્રકાર હતો. એને પોતાની કળા પર ખૂબ જ ગર્વ હતો. એણે એક દિવસ ખૂબજ સુંદર અને અદ્દ્ભૂત ચિત્ર બનાવ્યુ. એણે એ ચિત્ર પોતાના નગરની વચ્ચોવચ મૂક્યું અને સાથે સાથે એક લખાણ પણ મૂક્યુ  લખાણમાં લખ્યું કે "આ ચિત્રમાં જેને પણ જરા અમથી પણ ભૂલ લાગે એ જગ્યાએ નિશાન કરી દેવુ."

       સાંજે જ્યારે એ પોતાનું ચિત્ર જોવા આવ્યો તો તેણે પોતાના ચિત્રને નિશાનોથી ભરેલી જોઇ. આ જોઇ એનું હ્રદય ભરાઇ આવ્યું પોતાની કલાનું આવું અપમાન એ સહન ના કરી શક્યો તેથી એણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
       આત્મહત્યા કરવા જતા રસ્તામાં તેને એક મિત્ર મળ્યો. મિત્રએ પૂછ્યુ, "એ દોસ્ત, કેમ આટલો દુઃખી છે ? જે પણ હોય મને જણાવ મારાથી બનતી કોશિશ કરીશ" આ સાંભળ્યા પછી ચિત્રકારે પોતાની આપવીતી સંભળાવી. આ સાંભળી તેના મિત્રએ કહ્યુ, "બસ ... ! આમ આટલી નાની અમથી વાતમાં આત્મહત્યા ના કરાય. જો સાંભળ, હવે હું કહુ એમ કરજે. તેને કહ્યું  કે હવે બીજુ સુંદર પણ સહેજ ભૂલોથી ભરેલું ચિત્ર બનાવ અને તેની સાથે લખાણમાં મેં કહ્યુ એમ લખજે" પછી ચિત્રકારે વિચાર્યુ ચાલને તેના વિચાર પ્રમાણે કરી જોઉં.

      બીજા દિવસે એ ચિત્રકારે એક સુંદર પણ સહેજ ભૂલ ભરેલ ચિત્ર બનાવ્યુ અને સાથે એક લખાણ પણ મૂક્યું. લખાણમાં તેના દોસ્તના કહ્યા પ્રમાણે લખ્યુ કે "જેને પણ આ ચિત્રમાં ભૂલ દેખાય તો તેને તરત જ જાતે સુધારી લેવી".

     પછી ચિત્રકારે સાંજે જઇને જોયુ તો .. આશ્ચર્ય...!! આખુ ચિત્ર એમ ને એમ જ. કોઇજ નિશાન ના મળ્યું જેવી મૂકી હતી તેવીને તેવી જ હતી...!!!

Moral (સારાંશ) :-


લોકોની ભૂલો કાઢવી ખૂબ આસાન છે પણ એને સુધારવી ખૂબજ અઘરી છે. જેની ભૂલ તમે સુધારી શક્તા ના હોય એ ભૂલ કદી કાઢવી જ નહીં.